નવી દિલ્હી: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા શરદ પવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પુણેમાં વસંત દાદા સુગર ઇન્સ્ટિટ્યૂટ (VSI) ની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે. હિન્દુસ્તાન ટાઇમ્સ ડોટ કોમમાં છપાયેલા સમાચાર અનુસાર, ગૃહમંત્રી આવતા મહિને પુણેની મુલાકાત લે તેવી શક્યતા છે.
કેન્દ્ર સરકારે તાજેતરમાં સહકાર મંત્રાલયની સ્થાપના કરી છે અને શાહને દેશના પ્રથમ કેન્દ્રીય સહકાર મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મંગળવારે પવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી સાથે બેઠક કરી હતી. પાછળથી, શ્રેણીબદ્ધ ટ્વિટમાં પવારે કહ્યું કે તેમણે શાહના ધ્યાન પર બે મહત્ત્વના અને ગંભીર મુદ્દાઓ લાવ્યા જેમ કે ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) અને ખાંડ મિલોના પરિસરમાં ઇથેનોલ ઉત્પાદન એકમો સ્થાપવાની પરવાનગી.
મીડિયા અહેવાલો અનુસાર, એનસીપીના વરિષ્ઠ નેતાએ કહ્યું કે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી શાહે એનસીપીના પ્રમુખ પવારને જાણ કરી કે તેઓ વૈકુંઠ મહેતા નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ કો ઓપરેટિવ મેનેજમેન્ટ (પુણેમાં એક સંસ્થા જે સહકાર મંત્રાલય હેઠળ આવે છે) ની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છે. સંભવ છે કે, પવારે શાહને વસંતદાદા સુગર ઇન્સ્ટિટ્યૂટમાં આમંત્રણ આપ્યું હોઈ શકે.
આપને જણાવી દઈએ કે, શરદ પવારે મંગળવારે નવી દિલ્હીમાં અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. પવારે કહ્યું હતું કે તેઓ દેશના પ્રથમ સહકારી મંત્રી બનવા માટે શાહને પ્રથમ અભિનંદન આપનાર હતા.