કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ખાંડ ઉત્પાદકોને ખાંડનું ઉત્પાદન ઘટાડવાનું સૂચન કર્યું હતું અને કહ્યું હતું કે ખાંડનું વધુ ઉત્પાદન ભવિષ્ય માટે સમસ્યા ઊભી કરશે. ગડકરીએ સૂચવ્યું કે ખાંડનો વિકલ્પ ‘ઇથેનોલ’ છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે એવો માર્ગ બનાવવાના પ્રયાસો કરવા જોઈએ કે જેના દ્વારા ઇથેનોલ ઓટોમોબાઈલ ઉદ્યોગને સીધું વેચી શકાય.
નીતિન ગડકરીનું આ નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે ખાંડ મિલોને ખાંડનું ઉત્પાદન ઘટાડવા અને ઇથેનોલ પર ધ્યાન આપવાનું સૂચન કર્યું છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ખાંડ ઉત્પાદકોને ખાંડનું ઉત્પાદન ઘટાડવાનું સૂચન કર્યું હતું અને કહ્યું હતું કે ખાંડનું વધુ ઉત્પાદન ભવિષ્ય માટે સમસ્યાઓ ઊભી કરશે. ગડકરીએ સૂચવ્યું કે ખાંડનો વિકલ્પ ‘ઇથેનોલ’ છે. જણાવી દઈએ કે ભારત વિશ્વમાં ખાંડનો નંબર વન ઉપભોક્તા અને બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે બ્રાઝિલમાં ખાંડના ભાવમાં વધારો થવાને કારણે જ ભારતની 80 લાખ ટન ખાંડની નિકાસ શક્ય બની છે. તેમણે કહ્યું કે આ વર્ષે બ્રાઝિલ ઉત્પાદન વધારવા જઈ રહ્યું છે અને તે પછી તે અમારા માટે સમસ્યા બની રહેશે.