પંજાબમાં ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્રને હાઈ એલર્ટ કરતા મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહ

આગામી 48 થી 72 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે, પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદરસિંહે શુક્રવારે રાત્રે હાઇ એલર્ટ આપવાનો આદેશ આપ્યો છે અને તમામ નાયબ કમિશનરોને પરિસ્થિતિ પર નજીકથી દેખરેખ રાખવા આદેશ આપ્યો છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભાકરા બિયાસ મેનેજમેન્ટ બોર્ડે ભાકરા ડેમના પૂરના દરવાજા પણ ખોલી નાંખ્યા છે જેનાથી રાજ્યમાં નદીઓમાં પાણીનું સ્તર વધ્યું છે.

અમરિંદરસિંહે ડેપ્યુટી કમિશનરોને ભારતીય હવામાન ખાતાની ચેતવણીને ધ્યાનમાં રાખીને કોઈપણ અતિ કપરી પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવા જણાવ્યું હતું.

તેમણે રાહત અને પુનર્વસનના કામો અને જ્યારે જરૂર પડે ત્યારે એક્શન પ્લાન સાથે તૈયાર રહેવા કહ્યું છે.

રાજ્યમાં વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને અધિકારીઓને પોતાનું મુખ્ય મથક ન છોડવાનું કહેવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here