શુગર મિલ પર ઉત્તર પ્રદેશ પ્રદુષણ બોર્ડે લગાવ્યો દંડ

ઉત્તર પ્રદેશની એક સુગર મિલ પર પ્રદૂષણના ધોરણોને અવગણવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, ઉત્તરપ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (યુપીપીસીબી) એ મુરાદાબાદ સુગર મિલ પર પ્રદૂષણ સંબંધિત માપદંડને પૂર્ણ ન કરવા બદલ 3.16 કરોડનો દંડ ફટકાર્યો હતો અને યુનિટ બંધ કરવાની નોટિસ પણ આપી હતી.

યુપીપીસીબીના મુરાદાબાદના રિજનલ ઓફિસર અજય શર્માએ જણાવ્યું હતું કે, અમે મુરાદાબાદના બલવારા ખાતે સુગર મિલ પર 3.16 કરોડનો દંડ ફટકાર્યો છે. સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (સીપીસીબી) ની ટીમે થોડા મહિના પહેલા મિલની મુલાકાત લીધી હતી અને કેટલીક અસંગતતાઓ શોધી કાઢ્યા પછી અમે મિલ મેનેજમેંટને પણ યુનિટ બંધ કરવાનું કહ્યું છે. ડિસ્ટિલરીમાંથી નીકળતો કચરો એકમ દ્વારા ખુલ્લામાં છોડવામાં આવ્યો હતો, જે ડેલા નદીને પ્રદૂષિત કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here