રાજ્ય સરકાર ત્વરાએ સમીક્ષા-સર્વે કરીને ધરતીપુત્રોની ઉદારતમ મદદ માટે પ્રતિબદ્ધ…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેતી પાકોને થયેલા નુકસાન અંગે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને આપદાના આ સમયે ધરતીપુત્રોની પડખે ઊભા રહેવાના દિશાનિર્દેશો આપ્યા…

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા અને સંબંધિત જિલ્લાઓના નુકસાનની વિગતો પૂરી પાડી હતી…

રાજ્યમાં આ વર્ષે અસાધારણ સંજોગોમાં આ કમોસમી વરસાદ થયો છે. તેના પરિણામે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે ત્યારે રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન હિતલક્ષી અભિગમથી ખેડૂતોની સહાયતા માટેની નેમ રાખે છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here