પંજાબના ક્લાનૌરમાં બનશે 100 એકરમાં અત્યાધુનિક શેરડી સંશોધન કેન્દ્ર

પંજાબ સરકારે કલાનૌરમાં ખાલી પડેલી પંચાયતની 100 એકર જમીન પર અત્યાધુનિક શેરડી સંશોધન અને તાલીમ કેન્દ્ર સ્થાપવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે.

પુણેમાં વિશ્વ વિખ્યાત વસંતદાદા સુગર ઇન્સ્ટિટ્યૂટની તર્જ પર સ્થાપિત થનાર આ કેન્દ્ર પઠાણકોટ- ભોઆ-દિનાનાગર-ગુરદાસપુર-કલાનૌર-ધારીવાલ-નૌશેરા મજ્જા સિંહ-બટલાના શેરડી સમૃદ્ધ પટ્ટામાં મદદરૂપ થશે.

નિષ્ણાતો જણાવે છે કે આ કેન્દ્ર સ્થાનિક યુવાનો માટે સેંકડો સીધી અને આડકતરી નોકરીઓ પેદા કરવા માટે મદદરૂપ થઇ શકશે, જેમાંથી મોટાભાગના લોકો હવે ડ્રગ્સની દહેશતમાં ફસાયેલા છે.

છેલ્લા ઘણા દાયકાઓથી, 1,200 એકર ફળદ્રુપ જમીન અવગણનાની સ્થિતિમાં પડી છે. તેમાંથી 100 એકરનો ઉપયોગ હવે કેન્દ્ર માટે કરવામાં આવશે. કલાનૌર ડેરા બાબા નાનક વિધાનસભા બેઠકનો એક ભાગ છે, જેનું પ્રદાન સહકાર પ્રધાન સુખજિન્દર સિંઘ રંધાવા કરે છે. પંચાયતે કેન્દ્ર સ્થાપવાની સંમતિ આપીને ઠરાવ પસાર કરી દીધો છે.

આટલા મોટા સાહસની સ્થાપનાની જટિલતાઓનો અભ્યાસ કરવા માટે, રંધાવાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં સુગરફેડના નિષ્ણાતોની એક ટીમ વસંતદાદા સંસ્થામાં મુલાકાત કરાવી હતી.

તેમણે હવે પાંચ સભ્યોની ટીમની રચના કરી છે જે કેન્દ્ર ચલાવવા માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને માનવ શક્તિ સંબંધિત મુદ્દાઓનો અભ્યાસ કરશે. ટીમને 15 દિવસની અંદર પોતાનો રિપોર્ટ સોંપવા જણાવ્યું છે.

આ દરમિયાન, કેન્દ્રની 50 ટકા કિંમત પંજાબ સરકાર ઉઠાવશે જ્યારે બાકીનો ખર્ચ પંજાબમાં કાર્યરત 16 જેટલી સહકારી અને ખાનગી ખાંડ મિલો કરશે.

“મુખ્ય ધ્યાન પાકની આવકમાં વધારો પર રહેશે. હાલમાં, આપણને એકર દીઠ 325-350 ક્વિન્ટલ મળી રહ્યા છે. અમારું લક્ષ્ય છે કે તે એક એકરમાં 400 ક્વિન્ટલ સુધી વધારશે. 50 ક્વિન્ટલમાં વધારાનો અર્થ ખેડૂતને તેના ઉત્પાદન માટે એકર દીઠ રૂ.15000 વધારે મળશે પડોશી રાજ્ય ઉત્તર પ્રદેશમાં પ્રતિ એકર 365-370૦ ક્વિન્ટલનું ઉત્પાદન થાય છે. આપણે અહીં આ આઉટપુટ કેમ નથી કરી શકતા? તેઓ સવાલ પણ રંધાવાએ કર્યો હતો

“એકવાર યીલ્ડમાં સુધારો થયા પછી, ખેડૂતોની આર્થિક સ્થિતિ આપોઆપ સારી થઈ જશે. સુગરફેડના મેનેજિંગ ડિરેક્ટર દવિન્દરસિંહે જણાવ્યું કે, મિલો અને શેરડીના વાવેતર કરનારા કર્મચારીઓને પણ તાલીમ આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here