અમદાવાદ: અમદાવાદ શહેરના પીપલાજ રોડ આવેલા ટેકસટાઇલ મિલ ગોડાઉનમાં ભયાનક આગ ફાટી નીકળતા 12 લોકોના જીવ ગયા છે.અમદાવાદ ફાયર બ્રિગેડ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ પરિસ્થિતિ વધુ ગંભીર બનતા NDRF ની ટીમને પણ રેસ્ક્યું ઓપરેશનમાં કાર્યરત કરવામાં આવી હતી.
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પણ તાત્કાલિક આગથી વાકેફ થયા હતા અને રેસક્યું ઓપરેશનને વધુ ઝડપી બનાવવા સૂચના આપી છે.મુખ્ય મંત્રી રાહત ફન્ડ માથી મૃતકોના પરિવારને ચાર લાખની સહાય રાશિ પણ ઘોષિત કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના ગોડાઉનમાં થયેલી આગની દુર્ઘટનામાં મૃતકો માટે દુઃખની લાગણી વ્યક્ત કરી છે.
અમદાવાદ ખાતે ગોડાઉનમાં થયેલ આગની ઘટનાથી જાનહાનીના સમાચારથી વ્યથિત છું. મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ તથા ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના. સરકારીતંત્ર તથા અધિકારીઓ અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છે.
— Narendra Modi (@narendramodi) November 4, 2020
પ્રધાનમંત્રીએ કહ્યું કે “અમદાવાદના ગોડાઉનમાં આગ લાગવાના કારણે થયેલી જાનહાનીથી દુઃખ થયું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. ઇજાગ્રસ્તો સ્વસ્થ થાય એ માટે