ભારતમાં આજે 3,52,181 દર્દીઓ સાજા થયા; 4,120 દર્દીના થયા મોત

નવી દિલ્હી: ભારતમાં સતત બે દિવસ પોઝિટિવ કેસની સંખ્યા કરતા સાજા થનાર દર્દીઓની સંખ્યા વધારે આવતી હતી પણ છેલ્લા 24 કલાકમાં સાજા થનાર દર્દીની સંખ્યા કરતા નવા દર્દીની સંખ્યામાં થોડો વધારો જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ 3,62,727 નવા કેસની સામે સાજા થનાર દર્દીની સંખ્યા 3,52,181 જોવા મળી હતી ગઈકાલે પોઝિટિવ કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધારે જોવા મળી હતી.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં વધુ 3,62,727 દર્દીઓ નોંધાયા બાદ ભારતમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 2,37,03,665 પાર પહોંચી છે. જ્યારે ભારતમાં સાજા થનાર દર્દીઓની સંખ્યા 1,93734,823 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં વધુ 3,52,181 દર્દી સાજા થયા હવે ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા 37,10,525 રહી છે.જોકે ભારતમાં કોરોનાના નવા લક્ષણોને કારણે મોતની સંખ્યા પણ દિનપ્રતિદિન વધતી જોવા મળી છે. છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 4,120 લોકોના મોત નિપજતા ભારતમાં કુલ મૃતકોની સંખ્યા 2,58,317 પર પહોંચી છે.

ભારતમાં હાલ વેક્સીન નું કામ પણ પુરા દેશમાં જોરશોરથી ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં 17,72,14,256 લોકોને રસી આપી દેવામાં આવી છે. ગઈકાલે ભારતમાં કુલ 24,46,674 લોકોને રસી આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here