ભારતમાં નોંધાયા નવા 42,766 નવા કેસ;1206 લોકોના થયા મોત

ભારતમાં કોરોનાના કેસમાં થોડો વધારો થયો છે. જોકે સાજા દર્દીઓની સંખ્યા હજુ નવા દર્દીઓની સરખામણીમાં વધારે નોંધાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં નવા 42,766 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા હતા. આ સંખ્યા સાથે ભારતમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 3.07,95,716 પર પહોંચી છે.

જોકે ભારતમાં સાજા થનાર પેશન્ટની સંખ્યા પણ વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 45,254 પેશન્ટ રિકવર પણ થયા છે જેને કારણે ભારતમાં કુલ રિકવર પેશન્ટની સંખ્યા 2,99,33,538 જોવા મળી રહી છે. આ સાથે ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 4,55,033 થવા પામી છે.

જોકે ભારતમાં મૃતકોની સંખ્યા ફરી થોડી વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1206 લોકોના મોત થયા છે.આ સાથે ભારતમાં કુલ મૃતકોની સંખ્યા 4,07,145 પર પહોંચી છે. ભારતમાં ગઈકાલે 30,55,802 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. ભારતમાં 37,21,96,268 કુલ ડોઝ આપવામાં આવ્યા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here