રોડ અકસ્માતમાં રાણા સુગર મિલના 5 કર્મચારીઓના મોત

રામપુરના શાહબાદ કોટવાલી વિસ્તારમાં ધકીયા રોડ પર એસયુવી બસ સાથે ટકરાતા એક સુગર મિલન 5 લોકોનાં મોત નીપજ્યાં હતાં, તેમ પોલીસે બુધવારે જણાવ્યું હતું.

એક પોલીસ અધિકારી વિદ્યા સાગર શર્માએ જણાવ્યું કે, “દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો રાણા સુગર મિલના કર્મચારી હતા. જ્યારે આ અકસ્માત થયો ત્યારે શેરડીની ગેરકાયદેસર આવક અટકાવવા તેઓ પેટ્રોલિંગ ફરજ પર હતા.”

અધિકારીએ ઉમેર્યું કે જે ચાર લોકો ઘાયલ થયા હતા તેઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here