છેલ્લા 24 કલાકમાં 60,471 કેસ નોંધાયા દેશમાં છેલ્લા 75 દિવસમાં સૌથી કેસ નોંધાયા

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે ભારતમાં કોરોનાના નવા 60,471 કેસ નોંધાયા છે, જે છેલ્લા 75 દિવસમાં નોંધાયેલા કેસમાં સૌથી ઓછા છે.

સતત 8 દિવસ સુધી દૈનિક પોઝિટિવ દર 5 ટકાથી નીચે છે. ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 1,17,525 દર્દીઓ સાજા થયા હવે એક્ટિવ કેસ વધુ ઘટીને 9,13,378 થયા છે, જે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 4.39 ટકાના સ્તરે છે, જ્યારે રાષ્ટ્રીય કોવિડ રિકવરી રેટ 95.64 % પર પહોંચી ગયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મુજબ નવા કેસ સાથે દેશમાં કેસની સંખ્યા 2,95,70,881 પર પહોંચી ગઈ છે. કોવિડ -19 મૃત્યુઆંક છેલ્લા 24 કલાકમાં 2,726 નવી જાનહાનિ સાથે વધીને 3,77,031 પર પહોંચી છે. દેશમાં સતત 33 મા દિવસે દૈનિક નવા કેસોથી આગળ વધતી જાય છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,17,525 દર્દીઓ સાજા થતા કુલ સાજા થનાર દર્દીઓની સંખ્યા 2,82,80,472 પર જોવા મળી રહી છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) ના જણાવ્યા અનુસાર, કોવિડ -19 માટે કુલ 38,13,75,984 નમૂનાઓ પરીક્ષણ કરાયા હતા, તેમાંથી ગઈકાલે 14 જૂન સુધીમાં 17,51,358 નમૂનાઓ પરીક્ષણ કરાયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે માહિતી આપી છે કે દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત 25,90,44,072 રસી ડોઝ આપવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here