ભારતમાં નોંધાયા વધુ 11,067 કોરોનાના દર્દીઓ

નવી દિલ્હી: ભારતે છેલ્લા 24 કલાકમાં 11,067 નવા COVID-19 કેસ અને 13,087 રિકવર કેસ નોંધાવ્યા છે. બુધવારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ માહિતી આપી હતી.

દેશમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 1,08,58,371 પર પહોંચી છે, જેમાં 1,41,511 સક્રિય કેસ અને 1,05,61,608 રિકવર કેસનો સમાવેશ થાય છે.
છેલ્લા 24 કલાકમાં 94 મૃત્યુ નોંધાય છેઆ સાથે કુલ મૃત્યુ આંક1,55,252 પર આવી ગયો છે.

ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) એ માહિતી આપી હતી કે, કોરોનાવાયરસ માટે કુલ 20,33,24,655 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી 7,36,903 નમૂનાઓનું મંગળવારે પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ભારતની સરેરાશ દૈનિક મૃત્યુ પણ ઝડપથી ઘટતી રહે છે. જાન્યુઆરી 2021 ના બીજા સપ્તાહમાં 211 ની ઊંચી સપાટીથી, ફેબ્રુઆરી 2021 ના બીજા સપ્તાહમાં સરેરાશ દૈનિક મૃત્યુ ઘટીને 96 થઈ ગયા છે, જેમાં 55 ટકાનો ઘટાડો નોંધાયેલો છે.

મંત્રાલયે ઉમેર્યું હતું કે, ભારતનો કેસ મૃત્યુદર (સીએફઆર) એ 1.43 ટકા છે જે વિશ્વમાં સૌથી નીચો છે અને વૈશ્વિક સરેરાશ 2.18 ટકા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here