ઉત્તર પ્રદેશ સરકારને શેરડીના બાકી નાણાં ખેડૂતોને ચૂકવવાનો હુકમ કરતી અલ્હાબાદ હાઈકોર્ટે

શેરડીના ખેડુતોને મોટી રાહત આપતા અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને એક મહિનાની અંદર 15% વ્યાજ સાથે શેરડીના બાકી લેણાં ભરપાઈ કરવાનો હુકમ કરવા નિર્દેશ આપ્યો છે. ઉત્તર પ્રદેશના ખેડૂતો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી બાદ કોર્ટે આ આદેશ આપ્યો છે. ન્યાયમૂર્તિ એસ કે ગુપ્તા અને ન્યાયાધીશ એસ એસ શમશેરીની ખંડપીઠે જયપાલસિંહ અને અન્ય શેરડીના ખેડુતોની અરજી પર આ આદેશ આપ્યો હતો.

અરજદારોએ દાવો કર્યો હતો કે બેંક પાસેથી લોન લીધા બાદ તેઓએ શેરડીનું વાવેતર કર્યું હતું, પરંતુ તેમના બાકી નાણાંની ચુકવણી નહીં કરવાને કારણે તેમને લોન ભરપાઈ કરવી મુશ્કેલ થઈ ગઈ છે.

હાઈકોર્ટે જણાવ્યું છે કે યુપી શેરડીના પુરવઠા અધિનિયમ પ્રમાણે શેરડી ઉગાડનારાઓને 14 દિવસની અંદર તેમની બાકી ચૂકવણી કરવી જરૂરી છે અને નિયત સમયગાળા દરમિયાન બાકી ચૂકવણી નહીં કરવામાં આવે તો રકમ પર વ્યાજ પણ ચૂકવવું પડશે. આ નિયમ હોવા છતાં સંબંધિત અધિકારીઓ કાર્યવાહી કરી રહ્યા નથી તે ચિંતાનું કારણ છે. અદાલતે પાલન માટે અધિકારીઓને ઓર્ડરની નકલ પ્રદાન કરવા પણ નિર્દેશ આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here