આંધ્રપ્રદેશ: ગોળના ભાવમાં વધારો થતાં ચિત્તૂરના ખેડૂતો, વેપારીઓ ખુશ

ચિત્તૂર: ખુલ્લા બજારમાં ગોળના ભાવ વધ્યા હોવાથી જિલ્લાના ખેડૂતો અને ગોળના વેપારીઓ ખૂબ ખુશ છે. પરિણામે વેપારીઓએ સમગ્ર વર્ષ દરમિયાન નફો કર્યો છે. વેપારીઓ સારા ભાવે દેશના વિવિધ ભાગોમાં ગોળની નિકાસ કરી રહ્યા છે. ચિત્તૂર જિલ્લામાંથી દૈનિક ધોરણે આશરે 150 મેટ્રિક ટન ગોળનું પરિવહન કરવામાં આવી રહ્યું છે. પહેલા કાળા ગોળનો સરેરાશ ભાવ 30 રૂપિયા પ્રતિ કિલો હતો, અને હવે તે વધીને 40 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. એ જ રીતે, એક કિલો પીળા ગોળનો સરેરાશ ભાવ 45 રૂપિયાથી વધીને 50 રૂપિયા થયો છે. ચિત્તૂર જિલ્લામાં આશરે 13,000 હેક્ટરમાં શેરડીની ખેતી થાય છે. વર્તમાન સિઝનમાં ખેડૂતોએ 1.50 લાખ ટન શેરડી માંથી આશરે 15,000 ટન કાળા અને પીળા ગોળનું ઉત્પાદન કર્યું છે. સામાન્ય રીતે 10 ટન શેરડી માંથી એક ટન ગોળનું ઉત્પાદન થાય છે.

જિલ્લાના વેપારીઓ તામિલનાડુના વેલ્લોરમાં ગોળ વેચે છે. ગંગાધરા નેલ્લોરના ખેડૂત સુધીર રેડ્ડીએ જણાવ્યું હતું કે, “અમે તમિલનાડુના વિવિધ ભાગોમાંગોળની નિકાસ કરી રહ્યા છીએ, જ્યાં વેપારીઓ પણ ઉત્પાદન ખરીદવા તૈયાર છે. લોકડાઉન દરમિયાન પેદાશોની નિકાસમાં અમને સૌથી પહેલા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. હવે, ચિત્તૂર માર્કેટયાર્ડમાં ભાવ 40 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. જથ્થાબંધ બજારમાં ગોળ વેચવા માટે સાલેમ, ધર્મપુરી અને ચિત્તૂર જિલ્લાના વેપારીઓ વેલ્લોરની મુલાકાત લે છે. ગોળની નિકાસથી જિલ્લાના કુલીઓ અને ટ્રક ચાલકોને પણ રોજગારી મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here