બગાહા: છેલ્લા ઘણા સમયથી બંધ પડેલી ચાણપાટિયા શુગર મિલ શરૂ થવાની શેરડીના ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. તમામ સરકારી પક્ષોએ મિલ શરૂ કરવાનું વચન આપ્યું હતું, પરંતુ હજુ સુધી આ વચન પૂરું થયું નથી. ખેડૂતોના મતે જો મિલ ફરી શરૂ થાય તો ચાણપટિયા, બેતિયા, નૌતન, બૈરિયા યોગપટ્ટી વગેરે વિસ્તારોનો વિકાસ થઈ શકે છે. મિલ શરૂ થવાથી રોજગારીની અનેક તકો ઉભી થઈ શકે છે અને અનેક નાના-મોટા ઉદ્યોગો પણ ઉભા થઈ શકે છે.
ત્રણ દાયકાથી બંધ પડેલી શુગર મિલની ચર્ચા માત્ર ચૂંટણી વખતે થાય છે, રાજકારણીઓ દ્વારા શુગર મિલ ખોલવાના માત્ર વાયદા જ કરવામાં આવે છે. 1932માં ચાણપાટિયા ખાતે શુગર મિલની સ્થાપના કરવામાં આવી હતી. તે સમયે બ્રિટિશ ઈન્ડિયા કોર્પોરેશન હેઠળની મિલમાં ખાંડનું ઉત્પાદન શરૂ થયું હતું. મિલ કાર્યરત થયા બાદ આ વિસ્તારની સમૃદ્ધિ વધવા લાગી. 1994માં શુગર મિલ બંધ થયા બાદ અહીંની અર્થવ્યવસ્થા પડી ભાંગી હતી.
મિલ બંધ થવાને કારણે અહીંની શેરડી નરકટિયાગંજ, રામનગર, બગાહા અને લૌરિયાની શુગર મિલોમાં મોકલવી પડે છે. જેના કારણે ખેડૂતોને વધુ ભાડુ ચૂકવવું પડે છે. મિલ બંધ થવાના કારણે મજૂરો અને ખેડૂતોના કરોડો રૂપિયા હજુ બાકી છે. ચાણપાટિયા વિસ્તારમાં શેરડીના ખેડૂતોની સંખ્યા વધુ છે. આથી અહી બંધ પડેલ શુગર મીલ પુન: ચાલુ કરવી જરૂરી છે.