ભારતમાં કોરોનાના કેસમાં ફરી મોટો ઘટાડો. એક્ટિવ કેસની સંખ્યા પણ ઝડપથી ઘટી રહી છે

નવી દિલ્હી: ભારતમાં કોરોનાના કેસમાં ઝડપથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં જે કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે તે છેલ્લા 45 દિવસમાં સૌથી ઓછા નોંધાયેલા કેસ છે. કેન્દ્રીય હેલ્થ મિનિસ્ટ્રી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1,73,790 નોંધાઈ છે જે 45 દિવસમાં નોંધાયેલા કેસ કરતા ઓછા છે. 1,73,790 નવા દર્દીઓ સામેલ થતા ભારતમાં હવે કોરોનાના કુલ કેસની સંખ્યા 2,77,29,247 પાર પહોંચી છે.

જોકે છેલ્લા 24 કલાકમાં ભારતમાં સાજા થનાર દર્દીઓની સંખ્યા પણ ઘણી વધી છે જેને કારણે રિકવરી રેટ પણ 90% ઉપર ફરી પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,84,601 દર્દીઓ સાજા થયા હતા જેને કારણે નવા કેસ અને રિકવર થયેલા કેસની વચ્ચેનું અંતર 1,14,428 કેસનું જોવા મળ્યું હતું. આ સાથે ભારતમાં કુલ રિકવર થયેલા કેસની સંખ્યા 2,51,78,011 પર પહોંચી છે. જયારે એક્ટિવ કેસ ઘટીને 22,28,724 પર આવી ગઈ છે.

જોકે ચિંતાની વાત એ છે કે ભારતમાં હજુ પણ મૃતકોની સંખ્યા વધી રહી છે. ગઈકાલે પણ ભારતમાં 3,617 વધુ લોકોના મોત નિપજતા ભારતમાં કુલ મૃતકોની સંખ્યા 3,22,512 પાર પહોંચી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here