કોરાનાવાઇરસના ભારતમાં 83 કેસ: બે ના મોત

વિશ્વના 116 દેશોથી પણ દેશોમાં કોરાનાવાઇરસ થી અસરગ્રસ્ત બન્યા છે તેમાં હવે ભારતમાં પેસારો કર્યો છે.ભારતમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 83 કેસ સામે આવી ચૂક્યા છે. જેમાંથી 2 લોકોના મોત થયા છે.જ્યારે 10 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પાછા ફર્યા છે.કોરોના વાઈરસના પગલે દેશના અનેક રાજ્યોમાં શાળાઓ અને કોલેજોને બંધ રાખવામાં આવી છે.

અનેક રાજ્યોમાં શાળા કોલેજ બંધ કરવાના આદેશ છૂટ્યા છે.પંજાબમાં સુરક્ષા કારણોસર તમામ સરકારી અને ખાનગી શાળાઓ 31 માર્ચ સુધી બંધ રહેશે.ફક્ત એ જ શાળાઓ ખુલ્લી રહેશે જ્યાં પરીક્ષાઓ ચાલુ છે.રાજ્યના શિક્ષણમંત્રી વિજય ઈન્દર સિંગલાએ શુક્રવારે આ જાણકારી આપી હતી. મંત્રી સિંગલાએ રાજ્યમાં મહામારી ફેલાવવાની સ્થિતિમાં લોકોને સાવધાની વર્તવાની અને સતર્ક રહેવાની સલાહ આપી છે.

મધ્ય પ્રદેશમાં શાળાઓ અને કોલેજોમાં આગામી આદેશ સુધી રજાઓ જાહેર કરાઈ છે.જ્યારે થિયેટરો 31 માર્ચ સુધી બંધ કરાયા છે. ઉચ્ચ શિક્ષમ વિભાગના પ્રમુખ સચિવ નીરજ મંડલોઈના જણાવ્યાં મુજબ તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓમાં આગામી આદેશ સુધી રજાઓ રહેશે. સામૂહિક કાર્યક્રમો સ્થગિત રહેશે પરંતુ વાર્ષિક પરીક્ષાઓ અને સેમિસ્ટર પરીક્ષાઓ નિર્ધારિત કાર્યક્રમ મુજબ થશે.

ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રદેશમાં તમામ શાળાઓ અને કોલેજોને 22 માર્ચ સુધી બંધ રાખવાના આદેશ આપ્યા છે. મીડિયા સાથે વાતચીત કરતા યોગીએ કહ્યું કે તમામ શાળા કોલેજો 22 માર્ચ સુધી બંધ રાખવાના આદેશ બહાર પડાયા છે.નિર્ણય પર 20 માર્ચના રોજ સમીક્ષા થશે અને ત્યારબાદ અન્ય કોઈ આદેશ અપાશે. જોકે જે શાળાઓમાં પરીક્ષાઓ ચાલી રહી છે ત્યાં પરીક્ષા બાદ નિર્ણય લાગુ થશે.

બિહારમાં શાળા કોલેજો 31 માર્ચ સુધી બંધ રખાઈ છે. બિહાર દિવસના કાર્યક્રમ પણ રદ કરાયા છે. સરકારે તમામ સ્પોર્ટ્સ, ઈવેન્ટ્સ અને કલ્ચરલ ઈવેન્ટ્સને પણ રદ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here