મહારાષ્ટ્રમાં 118 શુગર મિલોમાં પીલાણ બંધ

પુણે: મહારાષ્ટ્રમાં પીલાણ સીઝન અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 118 ખાંડ મિલો 09 એપ્રિલ, 2021 સુધી બંધ થઇ છે.
શુગર કમિશનરેટે જાહેર કરેલા આંકડા મુજબ, 9 એપ્રિલ, 2021 સુધીમાં, પીલાણ સિઝનમાં 189 શુગર મિલોએ ભાગ લીધો હતો. રાજ્યમાં 984.12 લાખ ટન શેરડીનું પિલાણ કરવામાં આવ્યું છે અને 1030.72 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન થયું છે. રાજ્યમાં ખાંડની સરેરાશ પુનપ્રાપ્તિ 10.47 ટકા રહી છે.
શુગર કમિશનરેટે જાહેર કરેલા અહેવાલ મુજબ, સોલાપુર વિભાગમાં 43 શુગર મિલો બંધ કરી દેવામાં આવી છે. જ્યારે કોલ્હાપુર વિભાગમાં 35 શુગર મિલો બંધ કરાઈ છે. નાંદેડ વિભાગમાં 14 ખાંડ મિલો બંધ છે. પુણે વિભાગે 12 મિલો બંધ કરી દીધી છે. જ્યારે એહમદનગરમાં 7 ખાંડ મિલો, ઓરંગાબાદની 4 ખાંડ મિલો અને અમરાવતીની 2 મિલો બંધ કરાઈ છે. નાગપુરની 1 ખાંડ મિલ બંધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here