દિલીપ વાલ્સે પાટીલ બન્યા મહારાષ્ટ્રના નવા ગૃહ મંત્રી

મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના નેતા દિલીપ વાલ્સે પાટિલને અનિલ દેશમુખના રાજીનામા બાદ ગૃહ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલય (CMO) અનુસાર, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખનું રાજીનામું રાજ્યપાલ ભગતસિંહ કોશ્ય્યરીને સોંપ્યું અને માહિતી આપી કે દિલીપ વાલ્સે-પાટીલ હવે ગૃહ વિભાગનો હવાલો સંભાળશે. દિલીપ વાલ્સે પાટીલના મજૂર વિભાગનો હવાલો હસન મુશ્રીફને અતિરિક્ત હવાલો તરીકે આપવામાં આવી રહ્યો છે અને રાજ્યના આબકારી વિભાગની દેખરેખ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર કરશે.

ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંઘ દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા દેશમુખે સોમવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને રાજીનામું આપ્યું હતું. મુંબઇ હાઈકોર્ટે સોમવારે મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર દ્વારા દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોના 15 દિવસની અંદર પ્રાથમિક તપાસ શરૂ કરવાનો આદેશ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ને આપ્યા બાદ આ ઘટનાઓ પ્રકાશમાં આવી છે.

પરમબીરસિંહે તેમની અરજીમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં દેશમુખ ઉપર ભ્રષ્ટાચારના આરોપોને દોહરાવ્યો હતો, અને મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દેશમુખ પર પોલીસ તપાસમાં દખલ કરવાનો આરોપ લગાવ્યો હતો. સિંહે આ અગાઉ ઠાકરેને એક પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે દેશમુખે સસ્પેન્ડ કરેલા સહાયક પોલીસ નિરિક્ષક સચિન વાઝને દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલવા કહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here