પેટ્રોલ સાથે ઇથેનોલનું મિશ્રણ 8 વર્ષમાં 10 ગણું વધ્યું

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની ઇથેનોલ બ્લેન્ડિંગ પોલિસીનો ફાયદો દેખાઈ રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇથેનોલ સંમિશ્રણ નીતિને સફળ બનાવવા તમામ પ્રયાસો કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે પેટ્રોલમાં માત્ર 40 કરોડ લિટર ઇથેનોલ મિશ્રણ સાથે હવે અમે 400 કરોડ લિટર મિશ્રણ સુધી પહોંચી ગયા છીએ. દેશમાં ઝડપી વિકાસનું તે એક ઝળહળતું ઉદાહરણ છે.

તેઓ ગુજરાતમાં સાબર ડેરી ખાતે વિવિધ વિકાસ પહેલના ઉદ્ઘાટન બાદ સંબોધન કરી રહ્યા હતા. પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે ભારતે પેટ્રોલમાં 10 ટકા ઇથેનોલ સંમિશ્રણનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે, જે સમયમર્યાદાથી પાંચ મહિના આગળ છે.

વડા પ્રધાને કહ્યું, “2014 સુધી દેશમાં 40 કરોડ લિટરથી ઓછું ઇથેનોલ મિશ્રિત કરવામાં આવ્યું હતું. આજે તે 400 કરોડ લિટરની નજીક પહોંચી રહ્યું છે. અમારી સરકારે છેલ્લા બે વર્ષમાં વિશેષ અભિયાન ચલાવીને 3 કરોડથી વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ પણ આપ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here