ઇથેનોલ મિશ્રણ: તેલની આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે ભારતનો રૂ. 50,000 કરોડનો દાવ

નવી દિલ્હી: ભારત ઇથેનોલના ઉત્પાદનને વધારવા માટે આશરે 7 અબજ ડોલર ખર્ચ કરવા તૈયાર છે.ભારત આ કદમથી તેલની આયાત પરના અન્ય દેશો પરની નિર્ભરતા માં ઘટાડો લાવી શકશે. ભારતના ઓઇલ સચિવ તરુણ કપૂરે શુક્રવારે બ્લૂમબર્ગ ટેલિવિઝનને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે 2025 સુધીમાં 20% ઇથેનોલ મિશ્રણ કરવાનું લક્ષ્ય હાંસલ કરવા માટે દર વર્ષે આશરે 10 અબજ લિટર ઇથેનોલની જરૂર પડશે. તેમણે કહ્યું કે, નવેમ્બર 2021 માં પૂરા થતાં વર્ષના 9% ની તુલનામાં આ ત્રિવિધ લક્ષ્ય છે. આ પગલા માટે નવી બાયો-રિફાઈનરીઓના નિર્માણ માટે આશરે 50,000 કરોડના રોકાણની જરૂર પડશે.

આ મહિનાની શરૂઆતમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2025 સુધીમાં 20% ઇથેનોલથી ગેસોલિન બનાવવાના દેશના લક્ષ્યને આગળ ધપાવ્યું છે, જે વાર્ષિક 4 અબજ ડોલરની બચત થવાની ધારણા છે. તે વિશ્વના ત્રીજા ક્રમના સૌથી મોટા તેલ આયાત કારમાં નવીનીકરણીય ઉર્જાના ઉપયોગને વિસ્તૃત કરશે અને દેશના સરપ્લસ ચોખા અને નુકસાન થયેલા અનાજને ઇથેનોલમાં રૂપાંતરિત કરવામાં મદદ કરશે. કપૂરે કહ્યું કે, ભારતનું મોટાભાગનું ઇથેનોલ ઉત્પાદન હાલમાં શેરડીના મોલાસીસ માંથી આવે છે, પરંતુ હવે ખાંડ સિવાયના સ્ત્રોતોમાંથી વધુ ઉત્પાદન કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. કાચો માલ તરીકે મોલિસીસ અને અનાજ પર આધારિત નિસ્યંદન એકમો સ્થાપવા માટે સરકાર નાણાકીય સહાય આપી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here