નવી દિલ્હી: 2025 સુધીમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણનું લક્ષ્ય હાંસલ કરવા માટે, સરકાર બાયોફ્યુઅલ ઉત્પાદન વધારવા માટે વિવિધ પગલાં લઈ રહી છે. આ દિશામાં આગળ વધતા, 30 નવેમ્બર, 2022 સુધીમાં, દેશમાં ઇથેનોલ ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 947 કરોડ લિટર સુધી વધારી દેવામાં આવી છે. તેમાંથી, મોલાસીસ આધારિત ડિસ્ટિલરી 619 કરોડ લિટરની ક્ષમતા ધરાવે છે, જ્યારે અનાજ આધારિત ડિસ્ટિલરી 328 કરોડ લિટરની ક્ષમતા ધરાવે છે.
ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના જણાવ્યા અનુસાર, 228 ઇથેનોલ પ્રોજેક્ટ્સને બેંકો તરફથી 18,500 કરોડ રૂપિયાથી વધુની લોન મંજૂર કરવામાં આવી છે. મંજૂર કરેલ લોન માંથી 196 પ્રોજેક્ટને રૂ. 9000 કરોડથી વધુની રકમનું વિતરણ કરવામાં આવ્યું છે. ભારતમાં ઇથેનોલનું ઉત્પાદન વધવાની શક્યતા છે કારણ કે કેન્દ્રએ ગયા મહિને 2022-23 સીઝન માટે EBP પ્રોગ્રામ હેઠળ શેરડી આધારિત વિવિધ કાચા માલમાંથી મેળવેલા ઇથેનોલના ભાવને મંજૂરી આપી હતી.