ઈથનોલના ઉત્પાદનથી ખેડૂતોની આવકમાં થશે વધારો: નરેન્દ્ર મોદી

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે, ખરાબ વર્ષને પાછળ રાખીને હાલના આર્થિક સંકેતોમાં ઉત્તેજનાનો માહોલ છે.

ખેડૂત સંગઠનોએ નવા કૃષિ માર્કેટિંગ કાયદાઓ વિરુદ્ધ પોતાનું આંદોલન વધુ તીવ્ર બનાવ્યું છે, તો બીજી તરફ મોદીએ કૃષિ કાયદાઓનો ભારપૂર્વક બચાવ કરતાં કહ્યું કે આ કાયદાઓ ખેડૂતોની આવક વધારવામાં મદદ કરશે. રાજધાની દિલ્હીમાં ઉદ્યોગ સંસ્થા ફિક્કીની વાર્ષિક પરિષદને સંબોધન કરતાં મોદીએ ઓટો ઇંધણમાં 10% ઇથેનોલનું મિશ્રણ કરવા પર સરકારના ધ્યાનનું ઉદાહરણ આપ્યું, અને કહ્યું કે તેનાથી શેરડીના ખેડુતોને મિલરો દ્વારા ચૂકવણી કરવામાં મદદ મળી છે. અગાઉ શેરડીમાંથી ખાંડ અથવા ગોળનું ઉત્પાદન કરવાનો વિકલ્પ હતો, પરંતુ ઇથેનોલના ઉત્પાદનને અગ્રતા આપવામાં આવતા, ખેડૂતોની આવકમાં પણ વધારો થશે અને રોજગારની તકો ઉભી થશે.

નવા કૃષિ માર્કેટિંગ કાયદાઓને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે, હવે ખેડૂતોને મંડીઓની બહાર, ખાનગી ક્ષેત્રે અને ડિજિટલ પ્લેટફોર્મ પર પણ વેચવાનો વિકલ્પ છે. કૃષિ ક્ષેત્રના વિકાસની અમર્યાદિત શક્યતાઓ છે. તમે આ ક્ષેત્રમાં જેટલું રોકાણ કરો છો તેટલું જ ખેડૂતોની આવક વધશે. ગ્રામીણ, અર્ધ-ગ્રામીણ વિસ્તારો તેમજ ટાયર -2 અને ટાયર -3 શહેરોમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે એક મજબૂત માર્ગ બનાવતા તેમણે વરિષ્ઠ વ્યવસાય અને ઉદ્યોગના દિગ્ગજોને આવા ક્ષેત્રોમાં તકોનો લાભ લેવા આમંત્રણ આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here