પૂણે: લોનાવાલા પાસે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર એક પુલ પર ઈથેનોલ ટેન્કર પલટી ગયું હતું. ટેન્કર પલટી જતાં ઇથેનોલ છલકાયુ હતું અને આગ લાગતા એક જ પરિવારના ત્રણ સહિત ચાર લોકોના મોત થયા હતા અને અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ધ ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા સમાચાર મુજબ, બુધવારે સવારે સાતારાના જરાંદેશ્વર શુગર મિલમાંથી ઈથેનોલને વાશી લઈ જવામાં આવી રહી હતી. પોલીસે ડ્રાઈવર, નીતિન સત્રે અને ટ્રકના માલિક કાકડે વિરુદ્ધ કેસ નોંધ્યો છે, જેનું પૂરું નામ જાણી શકાયું નથી. ડ્રાઈવરની સારવાર ચાલી રહી હોવાથી હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. આ દુર્ઘટના સવારે લગભગ 11.30 વાગે બની હતી, જે બાદ થોડી જ વારમાં આગ ફાટી નીકળી હતી.