ફડણવીસે વરસાદ પ્રભાવિત ખેડૂતોને નક્કર મદદની માંગ કરી

ભારતીય જનતા પાર્ટીના નેતા દેવેન્દ્ર ફડણવીસે બુધવારે અહીં જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે છેલ્લા બે દિવસમાં વરસાદ અને પૂરથી પ્રભાવિત ખેડૂતોને “નક્કર” મદદ પૂરી પાડવી જોઈએ.
મરાઠવાડા અને અન્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે થયેલા નુકસાનનો ઉલ્લેખ કરતા પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું, “રાજ્યમાં વરસાદ પ્રભાવિત લોકોને નક્કર સહાય પૂરી પાડવાની તાતી જરૂરિયાત છે. ખાલી ખાલી વચન ન હોવા જોઈએ. ”

તેમણે પત્રકારોને કહ્યું કે કૃષિ પ્રવૃત્તિઓ મોટા પ્રમાણમાં પ્રભાવિત થઈ છે અને સરકારે રાહતનાં પગલાં ઝડપી કરવાની જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here