ખેડૂતો ખેતરમાં હાજર રહીને શેરડી સર્વેક્ષણ કરાવે: ડીસીઓ

ધામપુર જિલ્લા શેરડી અધિકારી યશપાલસિંહે સોમવારે શેરડી વિભાગના અધિકારીઓ સાથે બલ્લાપુર ગામ પહોંચી શેરડીના સર્વેનું નિરીક્ષણ કર્યું હતું. આ સર્વેક્ષણ દરમિયાન ડીસીઓએ ખેડૂતોને પોતાના ખેતરમાં જ હાજર રહીને સર્વે માટે સૂચન કર્યું હતું અને સર્વેમાં કોઈ ગરબડ ન થાય તે માટે ખ્યાલ રાખવો એમ જણાવ્યું હતું અને કહ્યું હતું કે જો કોઈ ગરબડ થશે તો પીલાણ દરમિયાન પરેશાની ભોગવવી પડશે તેમજ પછી ત્રુટીઓ દૂર કરવી મુશ્કેલ બનશે.
ડીસીઓએ જણાવ્યું હતું કે ખેડૂતો સર્વે પૂર્ણ થયા બાદ પોતેજ ઘોષણાપત્ર ટીમ ને પહોંચાડે,જેમાં લખવામાં આવે કે અમારું શેરડી બાબતનું સર્વે બરાબર પૂર્ણ થયું છે.આ તકે એસસીડીઆઈ અમિત કુમાર પાંડે,સચિવ મનોજકુમાર કોન્ટ,કેન પ્રબંધક ઓ.પી.વર્મા ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here