અમૃતસર: પંજાબમાં ખેડૂત સંઘના પ્રતિનિધિઓએ શેરડીના બાકી લેણાંની ચુકવણી સહિતની વિવિધ માંગણીઓ અંગે ધારાસભ્યને મેમોરેન્ડમ સોંપ્યું હતું.
ટ્રિબ્યુન ઈન્ડિયા.અહેવાલ અનુસાર 16 ખેડૂત સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતા ખેડૂતોનું એક પ્રતિનિધિ મંડળ આમ આદમી પાર્ટીના 9 ધારાસભ્ય સહિત કુલ 11 ધારાસભ્યોને મળ્યું હતું અને સોમવારે તેમની માંગણીઓનું મેમોરેન્ડમ સુપરત કર્યું હતું.
મોટાભાગના કિસ્સાઓમાં ધારાસભ્યોના પ્રતિનિધિઓ અથવા તેમના પરિવારના સભ્યો દ્વારા મેમોરેન્ડમ સ્વીકારવામાં આવ્યા હતા.
ખેડૂતોએ જણાવ્યું છે કે સરકારે આશરે રૂપિયા 900 કરોડના શેરડીના બાકી લેણાંની ચુકવણી માટે પગલાં ભરવા જોઈએ.