ચમત્કાર વગર નમસ્કાર નહીં: વધુ 5 મિલોએ ખેડૂતોને બાકીના નાણાં ચૂકવી દીધા

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સુગર મિલોને ચેતવણી આપી તેના પરિણામ મળી રહ્યા છે.મુઝફ્ફરનગર જિલ્લાની પાંચ મિલોએ 2018-19ની સીઝન માટે તમામ શેરડીના બાકી નાણાં ચૂકવી દીધા છે. હવે ફક્ત ત્રણ મિલોએ શેરડીનું બાકી ચૂકવણું આશરે રૂ. 224 કરોડ ચૂકવવાનું છે. અત્યાર સુધીમાં જિલ્લાની મિલોએ શેરડીના ઉત્પાદકોને 92 ટકા શેરડીની બાકીની રકમની ચૂકવણી કરી છે.

છેલ્લા 15 દિવસમાં,ઉત્તર પ્રદેશની ઘણી સુગર મિલોએ બાકી રહેતી રકમની ચૂકવણી કરી હતી.તાજેતરમાં,અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને એક મહિનાની અંદર 15 ટકા વ્યાજ સાથે શેરડીના બાકી લેણાંની રકમ ક્લિયર કરી નાખવાનો નિર્દેશ આપ્યો છે. ઉત્તર પ્રદેશના ખેડૂતો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી બાદ કોર્ટે આ આદેશ આપ્યો છે.

ઉપરાંત ડિફોલ્ટર સુગર મિલો વિરુદ્ધ ચેતવણી આપતા યુપી સરકારે શેરડીના ખેડુતોના તમામ બાકીદારોને ચૂકવવા માટે 31 ઓક્ટોબરની સમયમર્યાદા નક્કી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here