ગોવા: શેરડીના ખેડુતોની બાકી ચૂકવણી કરવાની માંગ

પણજી: સંજીવની શુગર મિલ પર આધારીત ખેડુતોએ તેમની બાકી ચૂકવણી અંગે ચર્ચા કરવા બુધવારે કૃષિ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે જૂના બીલોના બાકી પતાવટની માંગ કરી હતી. ખેડુતોએ જણાવ્યું હતું કે, અમને કૃષિ નિયામકશ્રી દ્વારા ખાતરી આપવામાં આવી છે કે, આ બાબતે કાર્યવાહી કરવામાં આવશે, અને અમારા તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે.

વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ પુષ્ટિ આપી હતી કે બાકી ચૂકવણી કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ અનુસાર, ખેડૂતોની બાકી પેમેન્ટ માટે સરકારની નાણાકીય મંજૂરી અને કાનૂની મંજૂરીની જરૂર છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here