ગુજરાત માટે સારા સમાચાર: વાયુ વાવાઝોડાની દિશા બદલાતા હવે ખતરો ટળ્યો

વાયુ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ અપડેટ આપવામાં આવ્યું છે કે, વાવાઝોડાંનું રૂટ રાત પછી બદલાયું છે. તેથી વાયુ વાવાઝોડુ ગુજરાત પર કદાચ નહિ ટકરાય. ગુજરાતીઓ માટે ખુશ ખબર આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે

સેટેલાઈટ તસવીરો પ્રમાણે વાવાઝોડુ દિશા બદલાઈ રહ્યું છે. હવામાન ખાતાએ એવી પણ આગાહી કરી છે કે, આ વાવાઝોડુ માત્ર દરિયાકાંઠાથી પસાર થઈ શકે છે. સોમનાથ, પોરબંદર, દ્વારકામાં વાવાઝોડાની ખાસી અસર જોવા મળી શકશે. પરંતુ વાયુ વાવાઝોડાં ગુજરાતને ટકરાશે નહિ, પણ તેની અસર જોવા મળશે. માત્ર વરસાદી ઝાપટા પડી શકે છે. રાજ્યમાં નહિવત કમોસમી વરસાદ થઈ શકે છે. અમદાવાદમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે
સાડા છ કરોડ ગુજરાતીઓ માટે સારા સમાચાર આવ્યા છે, જેને પગલે હવે વાયુની અસર 10 જિલ્લાઓને નહિ થાય. આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. પણ વાવાઝોડુ દરિયામાંથી જ પસાર થઈ જશે, પણ કાંઠે નહિ અથડાય. સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે વાયુ દરિયામાં આગળ વધતું રહશે, પરંતુ હાલ તે કેટેગરી-2 પ્રકારનું ભયાનક વાવાઝોડું છે, તે બદલીને કેટેગરી-1માં આવી શકે છે. જોકે, આ દરમિયાન હવાની ગતિ 135થી લઈને 175 કિલોમીટર પ્રતિ કલાક થઈ શકે છે
હવામાન એક્સપર્ટ મનોરમા મોહંતીએ જણાવ્યું કે, ગીર-સોમનાથ, જુનાગઢ, દીવ, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. તેથી આ વિસ્તારોમાં તો વાવાઝોડાની અસર છે. ભારેથી અતિભારે વરસાદ સાથે પવન ફૂંકાઈ શકે છે. સાઉથ ગુજરાતમાં થોડો વરસાદ પડશે. તો ઉત્તર ગુજરાતમાં વાવાઝોડાની કોઈ અસર નહિ દેખાય, અહીં વાદળછાયુ વાતાવરણ રહેશે

ઉલ્લેખનીય છે કે, મોડી રાત્રે ‘વાયુ’ વાવાઝોડાની દિશા બદલાઈ હોવાનું રાજ્ય સરકાર દ્વારા જાહેરા કર્યું હતું. વાવાઝોડું વેરાવળને બદલે પોરબંદર તરફ ડાયવર્ટ થયું હતું. દિશાની સાથે સાથે સમય પણ બદલાયો છે. વાવાઝોડું 13 જૂનના રોજ સવારને બદલે બપોરે ત્રાટકી શકે છે તેવા સમાચાર આવ્યા હતા, પરંતુ હવે તો વાયુ ટકરાવાનું જ નહિ, જેથી લોકોની સાથે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here