નવી દિલ્હી: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે મકાઈની લોકપ્રિયતા માત્ર વૈશ્વિક સ્તરે જ નહીં પરંતુ ભારતમાં મરઘાં અને ઇથેનોલ ઉત્પાદન સહિતના ઘણા ક્ષેત્રોમાં પણ વધી રહી છે. સરકાર પાક વૈવિધ્યકરણ હેઠળ વિવિધ પહેલ દ્વારા ખેડૂતોને મકાઈનું ઉત્પાદન વધારવા પ્રોત્સાહિત કરી રહી છે. તેમણે કહ્યું કે છેલ્લા 8 વર્ષમાં મકાઈના MSPમાં 43 ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને ઉત્પાદનમાં વધારાને કારણે ખેડૂતોને પણ તેનો ફાયદો મળી રહ્યો છે.
FICCI દ્વારા આયોજિત “India Maize Summit 2022ની 8મી આવૃત્તિને સંબોધતા, તોમરે મકાઈ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સરકારના સમર્થનની પણ ઉદ્યોગને ખાતરી આપી હતી.