ગોવાની સુગર મિલનો પ્રશ્ન ઉકેલીશું: સહકારી મંત્રી ગોવિંદ ગૌડે

ગોવા રાજ્યના સહકારી મંત્રી ગોવિંદ ગૌડેએ સંજીવની સહકારી સખી કરખાના લિમિટેડ બંધ રાખવાની વાત નકાઈ કાઢી હતી અને ગૃહને ખાતરી આપી હતી કે સરકાર ખેડુતોને મુશ્કેલીમાં મુકાવા નહીં દે.

સોમવારે એસેમ્બલીમાં તેમણે કહ્યું કે, “હું આ ગૃહમાં રેકોર્ડ પર છું કે મેં કહ્યું છે કે નવેમ્બરમાં ખાંડની ફેક્ટરી શરૂ કરવી શક્ય નથી.”

ગૌડેએ કહ્યું કે તે હંમેશાં ખેડૂતોને ટેકો આપશે. સુગર ફેક્ટરીની વર્તમાન પરિસ્થિતિ માટે સરકારી અધિકારીઓ અને ખેડુતોને જવાબદાર માનવામાં આવશે. તેમણે કહ્યું, ‘જો આપણે શેરડીનું ઉત્પાદન કરી શકતા નથી અને જો આપણે અન્ય રાજ્યોમાંથી શેરડી મેળવી શકતા નથી, તો હવે પછીનો વિકલ્પ શું છે?’

ગૌડેએ કહ્યું કે મુખ્યમંત્રીએ તેમને વિકલ્પો શોધવાનું કહ્યું છે. “અમારી પાસે દાદાસાહેબ સુગર ઇન્સ્ટિટ્યૂટનો રિપોર્ટ છે અને તે જાણવા મળ્યું છે કે ફેક્ટરીમાં જૂની મશીનરી લગાવવામાં આવી હતી અને ત્યારબાદ સરકારે નેશનલ સુગર ઇન્સ્ટિટ્યૂટ, કાનપુર પાસેથી રિપોર્ટ માંગ્યો કે સરકાર 35 રકરોડ રીનોવેશન માટે અને નવી મશીનરી માટે 75 કરોડ રૂપિયા ખર્ચ કરશે તો સરકારને નફો થશે કે નહિ એમ તેમણે કહ્યું હતું

તેમણે એમ પણ કહ્યું કે ખાંડની ફેક્ટરી કાર્યરત રહે તે સુનિશ્ચિત કરશે. અને જો તેઓ ખાંડનું ઉત્પાદન કરવામાં અસમર્થ હોય તો “અમે આલ્કોહોલ પેદા કરવા જેવા વિકલ્પો પર ધ્યાન આપીશું જે શેરડીનું બીજું ઉત્પાદન છે.”

ગૌડેએ કહ્યું કે આ અંગે બે થી ત્રણ મહિનામાં નિર્ણય લેવામાં આવશે.
રવિવારે પીડબ્લ્યુડી મંત્રી અને સંવોરડેમ ના ધારાસભ્ય દીપક પૌસકરે કહ્યું હતું કે તેઓ સંજીવની ખાંડ ફેક્ટરીમાં કાર્યરત કામદારોના હિતોનું પૂરતું રક્ષણ કરે તે માટે પ્રયત્નશીલ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here