પાકિસ્તાની સરકારે નિયત કરેલા દરે ખાંડ વેંચવાનો વેપારીઓનો ઇન્કાર

રાવલપિંડી સરકારે નક્કી કરેલા ભાવે ખાંડ વેચવાનો રાવલપિંડીની ગ્રોસર્સ એસોસિએશને ઇનકાર કરી દીધો છે. એસોસિયેશન દ્વારા જણાવાયું છે કે તેઓ સરકારના આદેશોનો અમલ કરીને નુકસાન ઉઠાવી શકે નહીં.

રાવલપિંડીના ડેપ્યુટી કમિશનર (ડીસી) અનવરુલ હકે ખાંડનો ભાવ કિલો દીઠ 70 રૂપિયા નક્કી કર્યો છે. જોકે, દુકાનદારોએ તેને ઠુકરાવી દીધી હતી. કરિયાણા મર્ચન્ટ એસોસિએશન (કેએમએ) ના પ્રમુખ પરવેઝ બટ્ટે જણાવ્યું હતું કે, જ્યારે અમે જથ્થાબંધ વેપારીઓ પાસેથી ઉચા ભાવે ખાંડ ખરીદી રહ્યા છીએ, ત્યારે અમે તેને સસ્તા દરે કેવી રીતે વેચી શકીએ.

અધિકારીએ જણાવ્યું હતું કે, જો સરકારે તેની કિલો દીઠ રૂ.65 નો પુરવઠો સુનિશ્ચિત કર્યો છે, તો બધા જ કરિયાણા વેપારીઓ કિલો દીઠ રૂ. 70ના ભાવે ખાંડ વેચી શકે છે. આગળ, આ જ કારણ ટાંકીને, કેએમએએ કઠોળ જેવી અન્ય ચીજવસ્તુઓના સત્તાવાર દરો પણ નકારી દીધા છે.

તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં ખાંડને લઇને ભારે હોબાળો મચ્યો છે અને તે દેશનો મુખ્ય મુદ્દો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here