ગુજરાતમાં શેરડીના મજૂરોના વેતનમાં વધારો

સુરત: દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લામાં કામ કરતા પર પ્રાંતીય શેરડીના મજૂરો માટે સારા સમાચાર છે. લગભગ ત્રણ વર્ષથી તેમની વેતન વૃદ્ધિ માટેના સંઘર્ષના પરિણામ રૂપે, સહકારી ખાંડ મિલોએ તેમના વેતનમાં લગભગ 10 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. યુનિયનના નેતાઓનું કહેવું છે કે વેતન વધારાથી આશરે 2.5 લાખ શેરડી કાપનારા મજૂરોને ફાયદો થશે.

મીડિયા અહેવાલો અનુસાર, મજુર અધિકાર મંચના સલાહકાર સુદિક કટિયારે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતની સહકારી ખાંડ મિલોએ બુધવારે શેરડીના પાકની મજૂરોની વેતન પ્રતિ ટન 25 રૂપિયા વધારીને 280 રૂપિયા પ્રતિ ટન કરી દીધી છે. મજૂર ઠેકેદારોને ચૂકવવામાં આવતા કમિશનને પણ ટન દીઠ રૂ. 5 વધારી દેવામાં આવતા હવે 55 રૂપિયા કરવામાં આવ્યું છે. પાછલા કેટલાક વર્ષોથી વેતન વધારાની માંગણી કરી રહેલા શેરડી કામદારોના સંઘર્ષનું આ પરિણામ છે.

સહકારી મિલોના મજૂર સુપરવાઇઝરો દ્વારા મુકાદમ તરીકે ઓળખાતા મજૂર ઠેકેદારો સાથેની બેઠકમાં વેતન વધારાની જાહેરાત કરવામાં આવી હતી. કટિયારે જણાવ્યું હતું કે, વેતન વધારાથી ગુજરાતના ડાંગ અને તાપી અને મહારાષ્ટ્રના ધૂલે અને નંદુરબારથી દર વર્ષે શેરડીના પાક માટે આવતા 2.5 લાખ કામદારોને લાભ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here