હરિયાણા સરકારે શેરડીનો બાકી ચૂકવણું તાત્કાલિક કરવુ જોઇએ: ભૂપેન્દ્રસિંહ હૂડા

કુરુક્ષેત્ર: પૂર્વ મુખ્યમંત્રી અને હરિયાણા વિધાનસભાના વિપક્ષી નેતા ભૂપેન્દ્રસિંહ હૂડાએ કહ્યું છે કે, કોરોના વાયરસના સમયગાળા દરમિયાન રાજ્ય સરકારની નીતિઓ ખેડૂત વિરોધી રહી છે. મીડિયાને સંબોધન કરતાં તેમણે કહ્યું કે, વિરોધી પક્ષોએ કોરોના સામેની લડત માટે સરકારને પૂર્ણ સમર્થન આપ્યું હતું, પરંતુ શ્રેણીબદ્ધ ખેડૂત વિરોધી નિર્ણયો લીધા બાદ સરકારનો વિરોધ કરવાની ફરજ પડી હતી.

સરકારે કોરોના રોગચાળા દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે સરકારે પ્રયાસ કરવો જોઇએ. સરકારે ઘઉં અને શેરડીની બાકી ચુકવણી તાત્કાલિક ચુકવવી જોઇએ અને કરા અને અનૌસમય વરસાદને લીધે થતા નુકસાન માટે વળતર પણ ટૂંક સમયમાં ચૂકવવું જોઇએ.

હૂડાએ વધતી કોરોના મુદ્દે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને લોકોને સાવચેતી રાખવા જણાવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here