હરિયાણા: મિલ દ્વારા ખેડુતોને 20 એપ્રિલ સુધીમાંચૂકવી દેવાની ખાતરી

શેરડીની ચુકવણીમાં સતત વિલંબ થયા બાદ, ભારતીય કિસાન યુનિયન (બીકેયુ) ના બેનર હેઠળ શેરડીના ખેડુતોએ મંગળવારે નારાયણગઢ શુંગર મિલની બહાર પંચાયત યોજી હતી અને જો 20 મી એપ્રિલ સુધીમાં તેમના લેણા ચૂકવવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી આપી હતી. ખેડુતોએ દાવો કર્યો છે કે, ચાલુ સીઝન માટે શેરડી પેટે આશરે 105 કરોડ રૂપિયા બાકી છે. આ મિલમાં ખાંડનો આશરે 28 કરોડનો સ્ટોક છે.

બીકેયુ વિભાગના પ્રમુખ બલદેવસિંહે જણાવ્યું હતું કે શેરડીની ખરીદીના 14 દિવસની અંદર ચુકવણીઓ કરી દેવી પડે છે, પરંતુ નારાયણગઢ મિલ ક્યારેય સમયસર પોતાની બાકી રકમ ચૂકવતી નથી.અમારા જ લેણા મેળવવા માટે અમને વારંવાર મીટિંગો કરવા અને અલ્ટીમેટમ આપવાની ફરજ પાડી રહી છે. હવે, મિલ અધિકારીઓએ અમને ખાતરી આપી છે કે 20 એપ્રિલ સુધીમાં રૂ.35 કરોડની ચુકવણી કરી દેવામાં આવશે. અમે તેમને અલ્ટીમેટમ પણ આપ્યું છે કે જો ખાતરી મુજબ લેણા ચૂકવવામાં નહીં આવે તો મહાપંચાયત યોજાશે, ત્યારબાદ અમે જલદ આંદોલન શરૂ કરીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here