શેરડીના ભાવ કવીન્ટલ દીઠ 400 રૂપિયા કરવાની ખેડૂતોની માંગ

શેરડીના ભાવ વધારાની માંગ સાથે ખેડૂતો ફરી એક વખત આહુલાનાં સુગર મિલ પાસે ઉપસ્થિત થઈને પોતાની માંગ રાખી હતી. શેરડીના ખેડૂતોએ શેરડીના કવીન્ટલ દીઠ ભાવ 400 રૂપિયા કરવાની માંગ સાથે સુભાષ ચાન્ફ્રાને સી એમ ના નામ સાથે એક આવેદન પત્ર પણ પાઠવ્યું હતું.જો કવીન્ટલ દીઠ ભાવ નહિ વધે તો આંદોલન કરવાની ચીમકી ભારતીય કિસાન યુનિયનના કાથુરા બ્લોકના કૃષ્ણ માલિકે આપી હતી તેમને જણાવ્યું હતું કે સરકારે શેરડીના ભાવ કવીન્ટલ દીઠ 340 રૂપિયા નક્કી કાર્ય છે પણ આ અભાવ બહુજ ઓછો છે અને શેરડીની કટાઈ પણ મજદૂરો પાસે કરવામાં આવે છે.મજૂરો તો પોતાની મજદુરી દર વર્ષે વધારી દે છે. પણ ખેડૂતો હેરાન થતા આવે છે। ખેડૂતોએ જણાવ્યું હતું કે શેરડીના ભાવ છેલ્લા 5 વર્ષમાં માત્ર 30 રૂપિયા જ વધ્યા છે . અને આ વધારો પર્યાપ્ત પણ નથી અને તેને કારણે અહીંના ખેડૂતોએ કથળનાં ખેડૂતોએ પોતાની શેરડી આપવાની પણ ના પાડી દીધી હતી.આવેદન પત્ર માં ખેડૂતોએ પોતાની માંગ રાખી છે પણ હવે જોવાનું એ રહે છે કે ખેડૂતોની આ માંગ સ્વીકારવામાં આવે છે કે નહિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here