ભારતમાં 3,82,315 નવા કેસની સામે 3,38,429 દર્દી સાજા થયા

નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 3,82,315 નવા કોરોનાવાયરસ કેસ નોંધાયા છે. આ સાથે, દેશભરમાં કેસની કુલ સંખ્યા વધીને 2,06,65,148 થઈ ગઈ છે. ઉપરાંત, છેલ્લા 24 કલાકમાં, દેશમાં 3,780 લોકો આ રોગનો ભોગ બન્યા છે, જેની સાથે આ રોગથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 2,26,188 પર પહોંચી ગઈ છે.

જોકે ભારતમાં સાજા થનાર દર્દીની સંખ્યા પણ દિન પ્રતિદિન વધી રહી છે. આજે છેલ્લા 24 કલાકમાં પણ 3,38,429 ડરી સાજા થતા અત્યાર સુધીમાં સૌથી વધુ દર્દી એક દિવસમાં સાજા થયા હતા.

સરકારી આંકડા મુજબ, દેશમાં હાલમાં COVID-19 ના 34,87,229 સક્રિય કેસ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) ના જણાવ્યા અનુસાર, કોવિડ -19 ના 29,48,52,078 નમૂનાઓનું 3 મે સુધી પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાં મંગળવારે 15,41,299 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here