ભારતમાં છેલ્લા 24 કલાકમાં 38,949 નવા કોવિડ -19 કેસ નોંધાયા હતા જયારે છેલ્લા 24 કલાકમાં 40,026 દર્દીઓ રિકવર થયા હતા અને 542 લોકોનાં મોત થયા હતા, એમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શુક્રવારે માહિતી આપી હતી.
અત્યાર સુધીમાં કુલ 3,10,26,829 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં 3,01,83,876 રિકવરી અને 4,12,531 મૃત્યુનો સમાવેશ થાય છે. ભારતમાં સક્રિય કેસ 4,30,422 પર છે.જયારે રિકવરી રેટ વધીને 97.28 ટકા થયો છે.
દેશમાં COVID-19 રસીના કુલ 39,53,43,767 ડોઝ અત્યાર સુધીમાં આપવામાં આવ્યા છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 38,78,078 નો સમાવેશ થાય છે.