મહારાષ્ટ્રમાં પીલાણ કાર્ય અંતિમ તબક્કામાં,107 લાખ ટન ખાંડ ઉત્પાદનનો અંદાજ

પુણે: મહારાષ્ટ્રમાં 2020-21 ખાંડ સીઝન અંતિમ તબક્કામાં છે અને 15 મે સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે, એમ નિષ્ણાંતોનો મત છે.

ફાઇનાન્સિયલ એક્સપ્રેસ ડોટ કોમ પર પ્રકાશિત થયેલા સમાચાર મુજબ રાજ્યના સુગર કમિશનર શેખર ગાયકવાડે જણાવ્યું હતું કે ખાંડનું ઉત્પાદન પહેલાથી 105 લાખ ટનને પહોંચી ગયું છે અને 107 લાખ ટન પહોંચવાની સંભાવના છે. ગાયકવાડે જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 10.48% ની પુનપ્રાપ્તિ સાથે 105 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે, જેના માટે 999.50 લાખ ટન શેરડીનું પિલાણ કરવામાં આવ્યું છે. લગભગ 2 લાખ ટન શેરડી પિલાણ માટે હજુ ઉપલબ્ધ છે.

કોલ્હાપુર અને સાંગલી વિસ્તારની મોટાભાગની મિલોએ તેમની સીઝન પૂરી કરી દીધી છે. અધિકારીઓએ કહ્યું કે પુણે અને સાતારાની મોટાભાગની મિલો કાં તો તેમની મોસમ પૂરી કરી ચૂકી છે અથવા અંતિમ તબક્કામાં છે. મરાઠાવાડા ક્ષેત્રમાં મિલોનું પિલાણ મેના અંત સુધીમાં થવાની સંભાવના છે. વધુ ઉત્પાદન હોવા છતાં, ખાંડની માંગ ઘટતી હોવાને કારણે મિલોને ખેડૂતોને ચૂકવણી કરવામાં મુશ્કેલી પડી રહી છે.

રિપોર્ટ અનુસાર શેરડીના ખેડુતો પર 2,073.05 કરોડ રૂપિયા બાકી છે. મિલોએ અત્યાર સુધીમાં 19,286.65 કરોડ રૂપિયા ચૂકવ્યા છે, જે આ સીઝનમાં કુલ એફઆરપી ચુકવણીના 90.29% છે. ખેડૂતોને ચૂકવવાપાત્ર કુલ એફઆરપી 21,359.69 કરોડ રૂપિયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here