ભારતમાં છેલ્લાં 24 કલાકમાં 15,223 નવા કોરોના કેસ નોંધાયા

નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં ગુરુવારે 15,223 નવા COVID -19 કેસ નોંધાયા હતા, આ સાથે ભારતમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,06,10,883 પર પહોંચી છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 19,965 દર્દીઓ સાજા થયા છે અને 151 મૃત્યુ નોંધાયા છે.
હાલમાં દેશમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને 1,92,308 છે જ્યારે મૃત્યુઆંક 1,52,869 છે.

કેરળમાં 70,481 એક્ટિવ કોરોનાવાયરસ કેસ છે, જે દેશમાં સૌથી વધુ છે અને બીજા ક્રમે મહારાષ્ટ્રમાં 49,615 સક્રિય કેસ છે.

COVID-19 સામે અત્યાર સુધીમાં કુલ 8,06,484 રસી આપવામાં આવી છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અનુસાર, 20 જાન્યુઆરી સુધીના COVID -19 માટેના કુલ 18,93,47,782 નમૂનાઓ પરીક્ષણ કરાયા હતા, જેમાં બુધવારે 7,80,835 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ભારતમાં 6,74,835 લોકોને કોવિડ -19 સામે અત્યાર સુધી રસી આપવામાં આવી છે.

બુધવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી કે દેશમાં કુલ કેસના 1.86 ટકા સક્રિય કેસ છે જ્યારે રિકવરી દર 96.70 ટકા થયો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here