ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 67, 208 કેસ આવ્યા જયારે 1,03,570 દર્દીઓ સાજા થયા

ભારતમાં આજે પણ એક લાખથી વધુ દર્દીઓ સાજા થયા હતા જેને કારણે ભારતનો રિકવરી રેટ પણ ઝડપથી વધી રહ્યો છે અને સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા પણ ઝડપથી ઘટી રહી છે. છેલ્લા 24 કલાકમાં પણ ફરી એક વખત નવા કેસની સરખામણીમાં સાજા થનાર કેસની સંખ્યા ઘણી વધારે જોવા મળી હતી.

આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં 67.208 નવા કેસ આવ્યા હતા. આ સાથે ભારતમાં કુલ કેસની સંખ્યા 2,97,00,313 પર પહોંચી ગઈ છે. જોકે છેલ્લા 24 કલાકમાં ફરી એક વખત એક લાખથી વધારે દર્દીઓ સાજા થતા રિકવરી રેટમાં પણ ભારે વધારો નોંધાયો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1,03,570 દર્દી રિકવર થયા હતા.આ સાથે ભારતમાં કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યા 2,84,91,670 પર જોવા મળી રહી છે. હાલ ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા 8,26,740 થવા પામી છે જે છેલ્લા 71 દિવસમાં સૌથી ઓછા છે.

જોકે કોરોનાથી દરરોજ થતા મૃત્યુ ની સંખ્યા ચિંતાજનક છે. ભારતમાં ગઈકાલે 2,330 લોકોના મોત નિપજ્યા હતા જેને કારણે કુલ મૃતકોની સંખ્યા 3,81,903 પર પહોંચી છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 34,63.961 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ભારતમાં કુલ 26,55,19, 251 ડોઝ આપી દેવાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here