કોરોનાવાયરસના વધતા જતા રોગચાળાને ધ્યાનમાં રાખીને, બેંકોને સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી કામ કરવાની સલાહ

જીવલેણ COVID-19 ચેપના સતત વધતા ફેલાવોનો સામનો કરી રહેલા ભારતીય બેન્ક એસોસિએશન (આઈબીએ) એ બેંકોને તેમના કામકાજના સમયગાળા ઘટાડવાની સલાહ આપી છે અને સવારે 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીના કામકાજના સમય મર્યાદા કરવાની વાત કરવામાં આવી છે.

21 એપ્રિલે રાજ્ય કક્ષાની બેંકિંગ સમિતિ (એસએલબીસી) ના કન્વીનરોને લખેલા પત્રમાં આઇબીએએ કહ્યું હતું કે, અમે મ્યુટન્ટ વાયરસ ફાટી નીકળવાના પડકારજનક સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ, ઘણા રાજ્યોમાં રોજિંદા નવા ચેપ આવે છે અને આર્થિક ગતિવિધિઓને લઈને ગંભીર ચિંતા છે.

આઇબીએએ 21 એપ્રિલે વિશેષ મેનેજિંગ કમિટીની બેઠક યોજી હતી અને ગયા વર્ષે જારી કરાયેલા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ કાર્યવાહી (એસઓપી) માં નક્કી કરેલા નિયમો ઉપરાંત, બેન્કો દ્વારા લેવામાં આવતા કેટલાક વધારાના પગલા અંગે સલાહ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

ગયા વર્ષથી વિપરીત, રાજ્યો હવે સ્થાનિક સ્થિતિના આધારે COVID-19 સાંકળ તોડવા માટે પોતાની માર્ગદર્શિકા જારી કરી રહ્યા છે, બેન્કોને વિવિધ રાજ્યો અને જિલ્લાઓમાં વિવિધ COVID પ્રોટોકોલનું પાલન કરવું પડી શકે છે.

પત્ર અનુસાર, બેન્કો જમા કરાવવા, રોકડ ઉપાડ, નાણાં અને સરકારી વ્યવસાયની ચાર આવશ્યક સેવાઓ પ્રદાન કરવાનું ચાલુ રાખશે. દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના એસએલબીસી તેમના સંબંધિત સ્થળોએ પરિસ્થિતિની સમીક્ષા કરશે અને હાલની સેવાઓ હેઠળ પ્રદાન કરવામાં આવતી વધારાની સેવાઓનો નિર્ણય કરશે.

તેમાં કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓને રોટેશનલ આધારે બોલાવી શકાય છે અથવા ઘરેથી કામ કરવાની છૂટ આપવામાં આવી શકે છે, આ નિર્ણય નોકરીના કદ, કર્મચારીઓની સ્થિતિ અને મહેકમના આધારે લઈ શકાય છે, આદર્શ રીતે “રૂબરૂમાં” 50% કર્મચારીઓને ફરજ પર બોલાવી શકાય છે.

અગાઉના પત્રમાં, આઈબીએએ જણાવ્યું હતું કે એસએલબીસી મુખ્ય મેડિકલ અધિકારીઓ અને અન્ય વરિષ્ઠ સ્તરના સરકારી અધિકારીઓનો સંપર્ક કરી શકે છે, રાજ્યના પ્રોટોકોલ મુજબ, કચેરીના પરિસરમાં અથવા યોગ્ય સ્થળોએ કર્મચારીઓને સામૂહિક રસીકરણની વ્યવસ્થા કરવા માટે અનુકૂળ રહેશે.

પત્રમાં જણાવ્યું છે કે, “ડોરસ્ટેપ બેંકિંગ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું જોઈએ.” આ ઉપરાંત, COVID -19 ચેપના કિસ્સામાં કર્મચારીઓ માટે જરૂરી તમામ કટોકટીની તબીબી સેવાઓ, તેમજ તબીબી તપાસની આવશ્યકતા હોય તેવા કર્મચારીઓ માટે, હોસ્પિટલો સાથેની વ્યવસ્થાઓ પણ બેન્કોએ શોધી કાઢવી જોઈએ.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here