ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ નીતિમાં સુધારો કર્યો છે, અને તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. શુક્રવારે મોડી રાત્રે વાણિજ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે સરકારે ઘઉંની નિકાસ પર “તાત્કાલિક અસરથી” પ્રતિબંધ મૂક્યો છે. સરકારે કહ્યું કે આ પગલું દેશની એકંદર ખાદ્ય સુરક્ષા માટે અને પડોશી અને અન્ય સંવેદનશીલ દેશોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે લેવામાં આવી રહ્યું છે. તેના નોટિફિકેશનમાં મંત્રાલયે જણાવ્યું હતું કે, ઘણાં પરિબળોને કારણે વૈશ્વિક ઘઉંના ભાવમાં અચાનક ઉછાળો આવ્યો છે, જેના પરિણામે ભારત, પડોશી અને અન્ય સંવેદનશીલ દેશોની ખાદ્ય સુરક્ષા જોખમમાં છે. જો કે, સૂચનાની તારીખે અથવા તે પહેલાં નિકાસનો પત્ર જારી કરવામાં આવ્યો હોય તેવા શિપમેન્ટના કિસ્સામાં નિકાસને મંજુરી આપવામાં આવશે. ભારત સરકાર દ્વારા અન્ય દેશોમાં તેમની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળવા અને સરકારોની વિનંતીઓના આધારે નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here