ભારતમાં છેલ્લા 74 દિવસમાં સૌથી ઓછા 70,421 કેસ નોંધાયા

કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં 70,421 નવા COVID-19 ચેપ સાથે, ભારતે તેના ઘટતા કેસોની સંખ્યા જાળવી રાખી છે અને એક દિવસની કોવિડ-19 નો સૌથી ઓછો વધારો નોંધાવ્યો છે.બલ્કે છેલ્લા 74 દિવસમાં નોંધાયેલા સૌથી ઓછા કેસ છે.

આ સાથે, કુલ કેસની સંખ્યા 2,95,10,410 પર પહોંચી ગઈ છે. ઉપરાંત, સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 5 ટકાથી નીચે ગયો હતો અને આજે 4.4 ટકા રહ્યો છે. એક્ટિવ કેસ લોડ 66 દિવસ પછી 10 લાખથી નીચે રહ્યો હતો અને આજે તે 9,73,158 પર છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કુલ 3,921 મૃત્યુ નોંધાયા છે, જેમાં દેશમાં મૃત્યુની સંખ્યા 3,74,305 થઈ ગઈ છે.

દરમિયાન, રિકવરી સતત 32 મા દિવસે દૈનિક નવા કેસની સરખામણીએ સતત વધી રહી છે, કારણ કે છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,19,501 રિકવરી થઈ છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

ભારતની રિકવરી સંખ્યા 2,81,62,947 પર પહોંચી ગઈ છે અને પુન:પ્રાપ્તિ દર 95.43 ટકા રહ્યો છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) ના જણાવ્યા અનુસાર, કોવિડ.-19 માટે કુલ 37,96,24,626 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, 13 જૂન સુધીમાં, આમાંથી ગઈકાલે 14,92,152 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે માહિતી આપી છે કે દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત 25,48,49,301 રસી ડોઝ આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here