આગામી બે દાયકામાં ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે: રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના અધ્યક્ષ મુકેશ અંબાણીએ મંગળવારે કહ્યું હતું કે, આગામી બે દાયકામાં ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે અને આ સમય દરમિયાન માથાદીઠ આવક બમણાથી વધુ થશે. ફેસબુકના વડા માર્ક ઝુકરબર્ગ સાથેની વાતચીતમાં અંબાણીએ ફેસબુક ફ્યુઅલ ફોર ઈન્ડિયા 2020 માં જણાવ્યું હતું કે ભારતનો મધ્યમ વર્ગ, જે દેશના કુલ ઘરોમાં આશરે 50 ટકા છે, દર વર્ષે ત્રણથી ચાર ટકાના દરે વૃદ્ધિ કરશે.

ઉદ્યોગપતિ અંબાણીએ કહ્યું કે, “મારું માનવું છે કે, આગામી બે દાયકામાં ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં શામેલ થશે.” તેમણે કહ્યું હતું કે આનાથી પણ મહત્ત્વની વાત એ છે કે, દેશ એક મોટો ડિજિટલ સમાજ બનશે, જે યુવા ચલાવશે.

તેમણે ઉમેર્યું, “આપણી માથાદીઠ આવક 1,800 ડોલરથી વધીને 2,000 ડોલર થઈ જશે.” અંબાણીએ કહ્યું કે ફેસબુક અને વિશ્વની અન્ય ઘણી કંપનીઓ અને ઉદ્યમીઓનો ભારતમાં ધંધો છે અને આ આર્થિક અને સામાજિક પરિવર્તનનો એક ભાગ છે. બનાવવાની સુવર્ણ તક છે.
મુકેશ અંબાણીએ આ કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું કે, ભારતની ઘણી કંપનીઓ અને સંસ્થાઓ ડિજિટલ સમાવેશ પર ઝડપથી કામ કરી રહી છે. તેમણે કહ્યું કે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં ભારતના યુવાનોની ભૂમિકા મહત્વપૂર્ણ છે. મુકેશ અંબાણીએ કહ્યું કે ભારતના યુવાનો ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગને રોલ મોડેલ તરીકે જુએ છે.

આ કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં અંબાણીએ ભારતની ડિજિટલ સિદ્ધિઓનો શ્રેય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા અભિયાનને આપ્યો. આ ઉપરાંત, તેમણે ઇતિહાસમાં ભારતની સૌથી મોટી એફડીઆઈ માટે માર્ક ઝૂકરબર્ગનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here