ભારતીય અર્થવ્યવસ્થામાં અપેક્ષા કરતા ઝડપી પુનપ્રાપ્તિ: આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસનો દાવો

ભારતીય અર્થવ્યવસ્થાએ ધારણા કરતા ઝડપથી સુધારો કર્યો છે, એવો દાવો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) ના ગવર્નર શક્તિકાન્ત દાસ દ્વારા કરવામાં આવ્યો હતો. ગુરુવારે ફોરેન એક્સચેંજ ડીલર્સ એસોસિએશનઓફ ઈન્ડિયા (એફઈડીએડીઆઈ) ની વર્ચ્યુઅલ વાર્ષિક પ્રસંગને સંબોધિત કરતા શક્તિકાંતા દાસે કહ્યું હતું કે, અર્થતંત્રની ઝડપી પુનપ્રાપ્તિ ચાલુ રાખવા માટે ઉત્સવની સીઝનના અંત પછી ઉત્પાદનો અને સેવાઓ માટેની માંગ જાળવવાની જરૂર છે. તેમણે કહ્યું કે, કોરોનાને કારણે વિશ્વની અર્થવ્યવસ્થા નીચે જવાનું જોખમ છે અને આ ખતરો ભારતીય અર્થવ્યવસ્થા પર પણ છે. તેથી, આર્થિક વિકાસની ગતિ જાળવવા માટે, માંગમાં સ્થિરતા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આરબીઆઈના ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં 23.9% ના ઘટાડા પછી ભારતીય અર્થવ્યવસ્થામાં મજબૂત સુધારો થયો છે. અમે અપેક્ષા કરી હતી તેના કરતા વધુ ઝડપી પુનપ્રાપ્તિ છે. પરંતુ આ ગતિ જાળવવી જરૂરી છે. આરબીઆઈનો અંદાજ છે કે નાણાકીય વર્ષ 2021 માં ભારતીય અર્થવ્યવસ્થામાં 9.5% નો ઘટાડો થશે. તેમણે કહ્યું કે, આરબીઆઈ નાણાકીય બજારોની કામગીરી જાળવવા માટે પ્રતિબદ્ધ છે અને કોઈપણ નકારાત્મક જોખમને ઘટાડવા અમે તમામ જરૂરી પગલાં લઈશું.

વૃદ્ધિમાં ઘટાડો થવાનું જોખમ ચાલુ છે

શક્તિકાંતા દાસે કહ્યું, આરબીઆઈના નિયમનકારી સુધારાને કારણે નાણાકીય બજારો નવી ઊંચાઈને સ્પર્શી ગયા છે. ભારત ઘટનાની જગ્યાએ કેપિટલ એકાઉન્ટ કન્વર્ટિબિલિટીને પ્રક્રિયા તરીકે જોશે. તેમણે કહ્યું હતું કે ભારતની આર્થિક વૃદ્ધિ માટે દૃષ્ટિકોણમાં સુધારો થયો છે, પરંતુ કોવિડ -19 ના બીજા તરંગ (યુરોપ અને ભારતના ભાગોમાં કોરોના વાયરસ રોગચાળો ફાટી નીકળવાના કારણે) વૃદ્ધિમાં ઘટાડો થવાનું જોખમ રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here