ઉત્તર પ્રદેશમાં તીડનાં આક્રમણ સામે પ્રશાસન દ્વારા અગમચેતીના પગલાં નિર્દેશ જારી

ગુજરાતમાં ખેતરોના ઉભા પાક પર તીડનું આક્રમણ થતું હતું સરકારનું દીધા હતી તેના પરથી ઉત્તર પ્રદેશ સરકાર વધુ જાગૃત બની છે અને તીડને લઈને કેન કમિશનર, સંજય આર. ભૂસરેડ્ડીએ તમામ ખાતાકીય અધિકારીઓ અને શેરડી સંશોધન કેન્દ્રોના વૈજ્ઞાનિકોને સૂચના આપી છે કે તેઓ ખેડૂતોને બચાવવા જાગૃતિ અભિયાન ચાલવા પડશે.

રાજ્યમાં શેરડીનો પાક બચાવા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને ગામોની સતત મુલાકાત લેવા અને ખેડુતોને જાગૃત કરવા અને ઉપરોક્ત જીવાતનાં સંભવિત હુમલાને નિષ્ફળ બનાવવા માટે પૂરતી સાવચેતી રાખવા જણાવ્યું છે.આ માટે દૈનિક અખબારોમાં પેમ્ફલેટ,હેન્ડબીલનું વિતરણ અને જંતુ નિવારણના ઉપાય પ્રકાશિત કરવા,તમામ કચેરીઓ અને વખારોની દિવાલો પર જીવાત નિવારણનાં પગલાં લખવા અને તમામ ખેડુતોને માહિતી પહોંચાડવા સૂચના આપવામાં આવી છે.અને તેનો અમલ કરવાનું કહેવામાં આવ્યું છે.

તીડ જીવાતનો હુમલો થયા બાદ અને પાકને ખૂબ ઓછા સમયમાં સફાચટ કરી નાંખે છે,તેથી તેના આક્રમણ પછી પાકને બચાવવો ખૂબ મુશ્કેલ છે,આવી સ્થિતિમાં,અગાઉથી તૈયારી કરીનેઉત્તર પ્રદેશ સરકારે પાકને બચવાની કવાયત પણ હાથ ધરી છે. ઓછા પાણી, દુષ્કાળ અને ઉનાળાના કિસ્સામાં તીડનું આક્રમણમાં વધારો થાય છે.તેથી,ખેડુતોને જાગૃત કરવા માટે શેરડી વિકાસ વિભાગનો આ પ્રયાસ ચોક્કસપણે વખાણવા યોગ્ય છે.

કેન કમિશનરે કહ્યું કે,ઘાસના છોડોની સુરક્ષા માટે ઘાસની સીમા પર ઘાસ સાફ કરવું જરૂરી છે,કેમ કે તે ઘાસમાં ઇંડા મૂકે છે.તીડનાં ટોળા અવાજથી ડરતા હોય છે અને ગુજરાત સરકારે પણ થાળીઓ વગાડીને તીડને દૂર કરવાનું કામ કર્યું હતું આવી સ્થિતિમાં, ડ્રમ, પ્લેટ વગાડવા જોઈએ જેથી તેઓ અવાઝના ભયથી ભાગી જાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here