નવેસરથી શેરડીનું વાવેતર જ ખેડૂતો માટે હિતાવહ: શરદ પવાર 

સાંગલી, સાતારા, કોલ્હાપુર, અને સોલાપુર જિલ્લામાં ભારે વરસાદ બાદ ખેતીવાડી ક્ષેત્રને મોટો ફટકો પડ્યો છે. પૂરથી ખેડૂતોની કમાણીના સપના દૂર થઈ ગયા છે અને  પૂર પછી લોકો સામાન્ય સ્થિતિ તરફ પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પૂરના કારણે આ વિસ્તારમાં કેટલાક હજાર હેક્ટરમાં પાકને નુકસાન પહોંચ્યું છે. અન્ય પાકની જેમ વધુ પડતા પાણી ભરાવાથી શેરડીને નુકસાન થયું હતું. જેના પગલે હવે એનસીપીએ સરકારને શેરડી ઉગાડનારાઓને વળતર આપવા વિનંતી કરી છે.

ધનંજય મુંડે અને સાંસદ સુપ્રિયા સુલેના નેતૃત્વમાં એનસીપીના પ્રતિનિધિ મંડળ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા  અને શેરડી માટે પ્રતિ હેક્ટર દીઠ 1 લાખ રૂપિયા વળતરની માંગ કરી છે આ સાથે પક્ષે ફરી એકવાર ખેતીલાયક જમીનને ખેતીલાયક બનાવવા વળતર રૂપે 25,000 રૂપિયા પ્રતિ હેકટરની માંગ  પણ કરી છે.

14 મી ઓગસ્ટે, પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે પણ પૂર અને ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેડૂત માટે સંપૂર્ણ પાક લોન માફીની માંગ કરી હતી. તેમણે પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા કાયમી સમાધાનની પણ માંગ કરી હતી. “શેરડીનો પાક સંપૂર્ણપણે નુકસાન થઈ ગયો છે, તાજા શેરડીનું વાવેતર કરવું વધુ સારું છે”, પવારે જણાવ્યું હતું.

તેમણે કોલ્હાપુર જિલ્લાના શિરોલ તાલુકાના કાવતેસર ગામ ખાતે એક સભાને સંબોધન કર્યું હતું, જ્યાં પાકને ભારે નુકશાન થયું છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here