પૂર પર ટેક્સ લાદનાર કેરળ પહેલું રાજ્ય બન્યું: બે વર્ષમાં 1400 કરોડ ઉઘરાવશે

લગભગ એક સદીમાં આવેલા ભયાનક પૂર પછીના એક વર્ષ પછી, કેરળ સરકાર વધારાના સેસ લાદનાર પહેલું રાજ્ય બન્યું છે. પહેલી ઓગસ્ટથી કેરળ રાજ્યના પુનઃ વસન માટે ભંડોળ ઉત્પન્ન કરવાના લક્ષ્ય સાથે ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સિવાય 1 ટકા ફ્લડ સેસ લાગુ કરવાનું નક્કી કર્યું છે.

“જીએસટીના માળખામાં વિશેષ ઉપકર લગાવવામાં અમને લગભગ એક વર્ષનો સમય લાગ્યો છે. વિલંબ સમજી શકાય તેવું છે, કારણ કે જીએસટી કાઉન્સિલ પ્રથમ વખત રાજ્ય સરકારને વધારાના સેસ લગાવવાની મંજૂરી આપી રહ્યું છે. તેમ કેરળના નાણામંત્રી થોમસ આઇઝેકે જણાવ્યું હતું

10 દિવસથી વધુ સમય સુધી ચાલેલા પૂરમાં 300 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 3 લાખથી વધુ લોકો બેઘર બન્યાં હતાં. રાજ્ય સરકારે અંદાજ આપ્યો છે કે પૂરના કારણે રૂ. 19,500 કરોડનું નુકશાન થયું છે.

રાજ્યના મંત્રીએ કહ્યું કે, રાજ્યમાં મોટી કુદરતી આફતો સાથે “વિશેષ પરિસ્થિતિ” હતી અને ખર્ચમાં અચાનક વધારો થઈ ગયો. તેમણે કહ્યું, “અમે આ ખર્ચને કેવી રીતે પૂર્ણ કરી શકીએ? રાજ્ય સરકાર માટે થોડી ચાલાકી હોવી જોઈએ.”

આવશ્યક ઘરેલુ વસ્તુઓ કે જે જીએસટીના કાર્યક્ષેત્ર હેઠળ નથી – જેમ કે ચોખા, મીઠું, શાકભાજી અથવા પેટ્રોલ, ડીઝલ જેવી ઇંધણ અથવા તે વસ્તુઓ કે જે 5% જીએસટી ટેક્સ કૌંસ હેઠળ આવે છે, જેમ કે રસોઈ તેલ અથવા દવાઓ, પૂરના સેસ માટે શામેલ કરવામાં આવશે નહીં. .

12% અથવા તેથી વધુના જીએસટી સ્લેબમાં આવતી વસ્તુઓ માટે પૂર ઉપકર લાગુ કરવામાં આવશે.

“અમે એક વર્ષમાં 700 કરોડ રૂપિયા એકત્રિત કરવાની અપેક્ષા રાખીએ છીએ. પૂર સેસ બે વર્ષ માટે લાગુ કરવામાં આવશે, તેથી અમે આશરે રૂ. 1400 કરોડની નજર જોઈ રહ્યા છીએ,” ઇસાકે કહ્યું.

આ ભંડોળ પૂરથી અસરગ્રસ્ત રસ્તાઓ અને ગામડાઓ માટેના બાંધકામ પ્રવૃત્તિઓ માટેના નાણાં પૂરા પાડવાનો છે. “અમે પીડબ્લ્યુડી કામો માટે 1000 કરોડની ફાળવણી કરી છે, ગામના રસ્તાઓ માટે બીજા 1400 કરોડ,ફાળવશું ” થોમસ ઇસાકે કહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here